મોરબીના જલારામ મંદિરે બુધવારથી રાહતદરે શુધ્ધ ઘીના અડદીયાનું વિતરણ

- text


મોરબી : શિયાળાનો ધીમીગતિએ પગરવ શરૂ થઈ ગયો છે અને સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ આવેલા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ બુધવાર તા.૧૩-૧૧-૨૦૧૯ થી શરૂ કરવા મા આવશે. અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. અડદીયાનું વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે.દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે વિતરણ કરવા મા આવશે. શુધ્ધ ઘી માંથી બનેલા સુકામેવાથી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબનો સંપર્ક કરવા નિર્મિત કક્કડ પ્રમુખશ્રી જલારામ સેવા મંડળ મોરબીએ અનુરોધ કર્યો છે.

- text