‘મહા’ વાવાઝોડાની આગાહીને લઈને નવલખી પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

- text


માળીયા (મી.) : મહા વાવાઝોડાની અગાહીને પગલે સમગ્ર રાજ્યમાં સરકાર અને તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે મોરબીના નવલખી બંદરે પણ સંભવિત વાવાઝોડાની અસરને પગલે સાવચેતીના ભાગરૂપે 2 નંબરનું સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે.

- text

મોરબી જીલ્લામાં માળિયા તાલુકામાં આવેલા નવલખી બંદર ખાતે 2 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ના ખેડવાની સુચના આપવામાં આવી છે. મહા વાવાઝોડાને પગલે દરિયામાં તોફાન અને ચક્રવાતની શક્યતા રહેલી છે જેથી સલામતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપવામાં આવી છે.

જોકે નવલખી બંદરે ખાસ કાઈ ચિંતાજનક સ્થિતિ ના હોવાનું પણ પોર્ટના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે છતાં સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text