ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં મોરબીના વકીલ રાજેશભાઈ બદ્રકિયા અને વાંકાનેરના ઉદ્યોગપતિ રાજેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક

- text


મોરબી : રાજ્ય સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તા. 14 ઓક્ટોબરના રોજ વિવિધ જિલ્લામાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

જેમાં મોરબી જિલ્લામાં વકીલ રાજેશભાઈ બદ્રકિયાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી – મોરબીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વકીલાતની સાથોસાથ RSSમાં પણ જોડાયેલા છે. જયારે વાંકાનેરના અગ્રણી અને મોરબી ઘડિયાળ ઉધોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ રાજેન્દ્રસિંહ (રાકેશ) ઝાલાને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ બંનેની નિમણુંકને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.

- text


- text