મોરબીમાં ક્રાંતિકારી સેના શહીદ ભગતસિંહના જન્મદિને લિંબુ સરબતનું વિતરણ કરશે

- text


મોરબી : મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા વીર ભગતસિંહના જન્મદિવસ નિમિતે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું છે.સાથોસાથ ટ્રાફિક સમસ્યા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો હકરાતમક પ્રયાસ કરાશે.

મોરબીમાં સતત ક્રાંતિકારી વિચારધારા સાથે લોકોને જાગૃત કરવા સક્રિય પ્રયાસો કરતા ક્રાંતિકારી સેના ગ્રુપ દ્વારા ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહની જન્મદિવસ નિમિત્તે બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી બાપાસીતરામ ચોક, રવાપર રોડ મોરબીમાં જાહેર જનતા માટે લીંબુ શરતબના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ટ્રાફિક સમસ્યા અને સ્વચ્છતા અંગેના મેસેજનો કાર્યક્રમ રવાપર ચોકડી સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ તકે તમામ દેશપ્રેમી મોરબીની જાહેર જનતાને ક્રાંતિકારી સેના દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text