મોરબીના જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન

- text


મોરબી : જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો માટે આગામી તા. 22 સપ્ટે.ના રોજ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દશા શ્રીમાળીની વાડી, સરદાર રોડ ખાતે બપોરે 3 વાગ્યાથી રાખવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન આશિષભાઇ મણિયાર એમના સુમધુર કંઠે રાસની રમઝટ બોલાવશે. તેમજ કાર્યક્રમ સ્થળે વિવિધ જૈન વાનગીના ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા છે. કાર્યક્રમના અંતે ઇનામ વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન આગામી તા. 19 સપ્ટે.ના રોજ સાંજે 4-30થી 6-30 વાગ્યા સુધી કલ્પરત્ન એપાર્ટ., શ્યામ હોસ્પિ.ની બાજુમાં, 9-A સાવસાર પ્લોટ ખાતે કરવાનું રહેશે.

- text