મોરબી નજીક મચ્છુ નદીના કોઝવેમાંથી પાણીમાં તરતી દોઢ વર્ષના બાળકની લાશ મળી

- text


પોલીસે બાળકની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડીને તપાસ હાથ

મોરબી : મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર નજીક મચ્છુ નદીના કોઝવેમાંથી આજે એક દોઢ વર્ષના માસુમ બાળકની તરતી લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

- text

આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર સામેના ભાગે મચ્છુ નદીના કોઝવેમાંથી આજે એક દોઢ વર્ષના માસુમ બાળકની તરતી લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતાં ડીવાયએસપી બન્નો જોશી બી ડિવિઝન પીઆઇ કોઢિયા તથા પીએસઆઇ આર.પી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતા અને બનાવની જગ્યાનું નિરીક્ષણ કરીને બાળકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમા ખસેડીને તપાસ હાથ ધરી હતા.આ બનાવ અંગે બી ડિવિઝન પીએસસાઈ આર.પી.જાડેજાએ જણાવ્યું હતું.કે મચ્છુ નદીમાંથી આ દોઢ વર્ષના બાળકની લાશ મળી છે.હાલ મૃતકની ઓળખ મળી નથી.હાલના તબબકે આ બનાવ અંગે કઈ કહી શકાય એમ નથી.બનાવનું કારણ અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટપણે કહી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text