ટંકારા રાજપૂત કરણી સેનાના હોદ્દેદારોની વરણી કરાઈ

- text


ટંકારા : ટંકારા રાજપૂત કરણી સેનાના હોદ્દેદારોની તાજેતરમાં નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ઝાલા રામદેવસિહ ભગવતસિંહ અને ઉપપ્રમુખ તરીકે ઝાલા રઘુવિરસિંહ (લજાઇ વાળા) તથા જાડેજા જયદિપસિંહ એચ (મિતાણા વાળાની) વરણી કરવામાં આવી હતી. આ તકે ક્ષત્રિય સમાજે એક થઈ દેશહિત અને લોકહિતના કામ કરવાના શપથ લીધા હતા.

- text

ટંકારાના વિરપર ગામે આવેલ કેરડિયા હનુમાનજી મંદિર ખાતે રવિવારે સાંજે ટંકારા સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત કરણી સેના પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમા ટંકારા રાજપૂત કરણી સેનાના પ્રમુખ તરીકે ઝાલા રામદેવસિહ ભગવતસિંહ (મેધપર ઝાલા) અને ઉપપ્રમુખ તરીકે ઝાલા રઘુવિરસિંહ (લજાઇ વાળા), જાડેજા જયદિપ સિંહ એચ (મિતાણા વાળાની) વરણી કરવામાં આવી હતી. આ તકે સેનાના ગુજરાત પ્રમુખ લક્કીસિંહ ઝાલા, સૌરાષ્ટ્રના હોદ્દેદારો તથા ટંકારા રાજપૂત સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા (વિરપર), ઉપપ્રમુખ જયુભા ઝાલા (વિરવાવ) મંત્રી વિજયસિહ ઝાલા (ધ્રુર્વનગર), રાજવી પરિવારના ધર્મરાજસિહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text