મોરબી જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરાશે

- text


મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા શહેરીજનોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, સમગ્ર મોરબી ગોકુળમય થવા જઈ રહ્યુ છે.ત્યારે આગામી શનીવાર તા.૨૪-૮-૨૦૧૯ના રોજ જન્માષ્ટમી નિમિતે યોજાનાર શોભાયાત્રા દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ચકીયા હનુમાનજી મંદિર, વસંત પ્લોટ ખાતે બપોરે ૧૧:૩૦ કલાક થી મોરબી ની ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદ વિતરણ કરવામા આવશે. જેનો ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા ગીરીશ ભાઈ ઘેલાણી, જયેશ ભાઈ કંસારા, જીતુભાઈ પુજારા, કાજલબેન ચંડીભમર, નરેન્દ્રભાઈ રાચ્છ, જગદીશભાઈ પંડીત, અશોકભાઈ ખન્ના, વિપુલ પંડીત, હિતેશ જાની, હસુભાઈ પંડીત, રાજુભાઈ ગીરનારી, વિશાલ ગણાત્રા,મનોજ ચંદારાણા, સી.ડી. રામાવત, નિર્મિત કક્કડ, ધીરૂભાઈ રાઘુરા, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, કીશોર ભાઈ ઘેલાણી, જે.આઈ. પુજારા, રમેશભાઈ બુધ્ધદેવ, રાજુભાઈ રવેશિયા, અનિલ ભાઈ સોમૈયા, પપ્પુભાઈ ચંડીભમર,નંદલાલ રાઠોડ, દીનેશ સોલંકી તથા વસંત પ્લોટ ગરબી મંડળના આગેવાનો સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text