મોરબી : મેઘરાજાને મનાવવા વજેપરમાં હનુમાનજી મંદિરે રામધૂન

- text


મોરબી : મોરબીના વજેપરમાં ચકવા હનુમાનજી મંદિર ખાતે મેઘરાજાને મનાવા આજરોજ તારીખ 16ને મંગળવારે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વજેપરમા ચકવા હનુમાનજી મંદિર ખાતે આજે સવારે 8:00 થી સાંજના 8:00 વાગ્યા સુધી 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે, કે ચોમાસાનો સમય શરુ થઇ ચુક્યો હોવા છતાં હજી વરસાદ આવ્યો નથી. લોકો ગરમીથી ત્રસ્ત છે. સર્વત્ર પાણીની અછત સર્જાઈ રહી છે. ત્યારે મોરબીમાં ઠેર ઠેર મેઘરાજાને મનાવવા માટે રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વજેપરમાં પણ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. રામધૂન શરુ થઇ ચુકી છે અને આ રામધૂનમાં જોડાવા માટે મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text