વાંકાનેરના કાનપરમાં વીજળી પડવાથી પરિણીતાનું મૃત્યુ થતા તાત્કાલિક સહાય અપાઈ

- text


વાંકાનેર : વાંકાનેરના કાનપર ગામે ગત તા. ૨/૭/૨૦૧૯ ને મંગળવારે સાંજે વાડીએથી પરત ઘરે આવતી વખતે વરસાદી માહોલમાં પરણિતા માથકિયા નુસરતબેન ઈમ્તિયાઝભાઈ ઉંમર વર્ષ 27 પર વીજળી પડવાથી તેઓનુ મૃત્યુ થયેલ હતું.

- text

જેની વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વી. કે. ગઢવી દ્વારા તાત્કાલિક નોંધ કરી સરકારી સહાય અંગેની કાર્યવાહી હાથ ધરેલ જેમાં આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા રૂબરૂ કાનપર ગામે મૃતક પરિણીતાના પરિવારની મુલાકાત લીધેલ અને તેમને દિલાસો આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ તેમજ તેમના પરિવારને સરકારી સહાય રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરેલ. આ તકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વી. કે. ગઢવી સાથે વાંકાનેર તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહેલ.

- text