પૂર્વ સાંસદ સવશીભાઈને ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ભાવાંજલિ અપાઈ

- text


મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-સાયલા પંથકના ગાંધી વિચારને વરેલા લોકસેવક અને પૂર્વ સાંસદ સવશીભાઈ મકવાણાના અવસાન પર મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખેડ વ્યક્ત કર્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે સવશીભાઈ ગાંધી વિચારધારાને વરેલા એક રચનાત્મક કાર્યકર હતા, તેઓ વર્ષો સુધી ગામડાઓમાં શિક્ષણની જ્યોત જગાવવા તેમજ ગાંધી વિચારોને જીવંત રાખવા માટે કાર્યરત હતા. તેઓએ એમ પણ જણાવ્યું હતું, કે લોકસેવાના સાચા મશાલચી સવશીભાઈના નિધનથી ગાંધી વિચારધારાનો સિતારો ખરી પડ્યો છે. તેઓએ સવશીભાઈના પરિવારને સાંત્વના તથા એમના આત્માને શાંતિ મળે તે માટે તેમને ભાવાંજલિ આપી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text