રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ પાસિયા પરિવાર બાવન ગજની ધ્વજા ચડાવશે

- text


શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન

મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા છે.

મોરબીના રફાળેશ્વર મંદિરે આગામી તા. ૪ને સોમવારના રોજ મહાશિવરાત્રીએ પાસિયા પરિવારના આગેવાન ખોડાભાઈ પાસિયા દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે. આ સાથે તેઓના ઘરથી સવારે ૭:૩૦ કલાકે રફાળેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા નીકળશે. આ સાથે બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરાયુ છે.આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text