મોરબી : પીઆઇ વી.બી.જાડેજા એલસીબીમા મુકાયા

- text


મોરબીની રગે – રગથી વાકેફ પીઆઇ જાડેજા એલસીબીમાં મુકાતા ગુન્હેગારોમાં ફફડાટ

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા એલસીબીમા ખાલી પડેલી પીઆઇની જગ્યા ઉપર કડક અને ઝાંબાઝ પીઆઇ તરીકે ઓળખાતા વી.બી.જાડેજાની નિમણુંક કરતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાની આજે સિંગલ ઓર્ડરથી મહત્વપૂર્ણ એલસીબી શાખામાં નિમણુંક કરવા આદેશ કર્યો છે.

- text

અગાઉ મોરબીમાં ફરજ બજાવી ગયેલા અને મોરબી શહેરની રગેરગથી વાકેફ તેમજ કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા વી.બી.જાડેજા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક થતા જ ગુન્હેગાર આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text