મોરબી નવયુગ ગૃપ દ્વારા શહીદોના પરિવાર માટે રેકોર્ડ બ્રેક ફાળો એકત્ર કરાયો

- text


સવા ત્રણ લાખ જેટલી માતબર રકમ એકઠી કરવામાં આવી

મોરબી : નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોએ શહીદોના પરીજનો માટે 3.51 લાખ જેટલી માતબર રકમ ઊભી કરી છે, જે મોરબીની શહીદો માટે તમામ શાળા-કોલેજો દ્વારા એકઠી કરાયેલી રકમમાંથી મોટામાં મોટી રકમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાળો સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પોતે આપ્યો છે, અન્યત્ર જગ્યાએથી ઉઘરાવવામાં આવ્યો નથી.

આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રની રક્ષા માટે જવાનો પોતાના પ્રાણની પરવા કર્યા વીના સરહદ પર તૈનાત હોય છે, તેનાં પરિવાર પર જ્યારે આવી આફત આવી પડે ત્યારે તેમને મદદરૂપ થવાની આપણી જવાબદારી બને છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text