મોરબી : સીરામીક કંપનીમાં પડી જતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સીરામીક કારખાના કામ વખતે પડી જતા મજૂરનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કાલિકાનગરમાં રહેતા રામજીભાઈ ભગવાનજીભાઈ ચાવડા ગઈકાલે લખધીરપુર રોડ ઉપર આવેલ સંજીવની સીરામીક કારખાનામાં મજુરી કામ કરતા હતા. તે વખતે તેઓ અકસ્માતે પડી જતા ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

- text