મોરબી : વાહનો પર લગાવાયા પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર

- text


મોરબી : સૈન્ય પર આતંકી દ્વારા થયેલા આત્મઘાતી હુમલાના પડઘા દેશભરમાં પડ્યા છે. ત્યારે મોરબીમાં રોડ પરથી પસાર થઈ રહેલા વાહનોમાં લોકો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર લગાવીને રોષ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.

- text

કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા છે. આ ઘટનાના પગલે પાકિસ્તાન પર દેશભરમાથી ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ સુપરમાર્કેટ ખાતે લોકો દ્વારા ત્યાંથી પસાર થતા વાહનોમાં પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર લગાવીને રોષ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.

- text