- text
મોરબી : મોરબીના વાંકડા ગામે આગામી તા. ૧૮ને સોમવારે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના વાંકડા ગામે આવેલ રોકડનાથ મહાવીરની જગ્યાએ આગામી તા. ૧૮ ને સોમવારના રોજ સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનિક રામદાસ ગોંડલીયા અને પ્રવીણ સુરદાસ પોતાના સુમધુર કંઠે સંતવાણીની પ્રસ્તુતિ કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા સંત ઉદાસી હરિપ્રકાશજીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text