ટંકારામા મન કી બાત કાર્યક્રમનો આરંભ

- text


ટંકારા : ટંકારાના ઓટાળા ગામેથી મન કી બાત કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગામેગામ એક પેટી ફેરવવામાં આવશે. જેમાં લોકોએ પ્રધાનમંત્રીની કામગીરીનું સરવૈયું નાખવાનું રહેશે.

ભાજપ દ્વારા ભારત કે મન કી બાત કાર્યક્રમનો ટંકારા તાલુકામાં આરંભ કરવામાં આવ્યો છે. ઓટાળા ગામથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. હવે ગામે ગામ આ કાર્યક્રમ યોજાશે. જેમાં એક પેટી રાખવામાં આવશે. લોકોએ પ્રધાનમંત્રીની કામગીરી એક ચિઠીમાં લખીને તે ચિઠી પેટીમાં નાખવાની રહેશે.

- text

આ કાર્યક્રમના પ્રારંભે ભાજપના અગ્રણી નેતા અને માજી ધારાસભ્ય બાવનજી મેતલીયા, યુવા પાંખના બેચર ધોડાસરા,સંજય ભાગિયા, રમેશભાઈ ગોધાણી સહીતના નેતા હાજર રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text