મોરબીમાં આમ આદમી પાર્ટીની સંપર્ક યાત્રા યોજાઈ

- text


સંપર્ક યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી વ્યસન મુક્તિ માટે પ્રયત્નશીલ

મોરબી : અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ગુજરાત કક્ષાના આગેવાનોનાં નેતૃત્વ હેઠળ મોરબીમાં પાર્ટી દ્વારા જન સંપર્ક યાત્રા યોજવામાં આવી હતી. મોરબી જિલ્લાના દરેક તાલુકામાંથી પદાધિકારી તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં આ સંપર્ક યાત્રામાં હાજર રહ્યા હતા.

મોરબી શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે આમ આદમી જોડો અભિયાન યોજવામાં આવ્યુ. જેમાં મહાપુરુષોની ઓરતીમાઓને ફુલહાર કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, સેક્રેટરી રાજેશભાઇ પટેલ , ઝોન પ્રમુખ અજિતભાઈ લોખીલ, જિલ્લા પ્રમુખ ભરતભાઇ બારોટની આગેવાનીમાં આ સંપર્કયાત્રા કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવામાં આવ્યો.
આજની રેલી દરમ્યાન પાર્ટીના મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઇ અને પાર્ટીના મોરબી શહેર ઉપપ્રમુખ જયેશભાઇએ સુરતના બટુકભાઈના કહેવાથી તત્કાલ મસાલા (માવા) ખાવાનું છોડી
વ્યસનમુક્તીની પહેલ કરી હતી.

- text

આવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતનાં દરેક કાર્યકર્તાને વ્યસન છોડવાનો પ્રેરણા સંદેશ આપવા કૃતનિશ્ચિયી છે તેવું આપની યાદીમાં જણાવાયુ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text