મોરબી : નવયુગ સંકુલના સ્ટાફે આઈઆઈએમના ઇન્ટરનેશનલ સેમિનારમાં લીધો ભાગ

- text


મોરબી : અમદાવાદ ખાતે આઇઆઈએમનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. જેમાં મોરબીમા આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલના ચાર પ્રિન્સિપાલે ભાગ લીધો હતો.

અમદાવાદ ખાતે આઇઆઇએમ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈનકલુઝીવ ઇનોવેશન ફોર ટ્રાન્સફોર્મેશન તેમજ ફોર્થ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની નવયુગ સંકુલના પ્રિન્સિપાલ યતીનભાઈ રાવલ, નવયુગ વિદ્યાલયના પ્રિન્સિપાલ જીજ્ઞેશભાઈ રામાણી, નવયુગ કોમર્સ સંકુલના પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકી અને નવયુગ વિદ્યાલયના એચઓડી રાજુભાઇ પૈજાએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓને ઇનોવેટીવ આઈડિયા થકી તેમાં રહેલી શક્તિ બહાર લાવી, રાષ્ટ્રના ટેકનોલોજી નિર્માણમાં વધુને વધુ સહકાર મળે તેવુ ક્રિએટિવ વર્ક કરવાના હેતુથી આયોજિત આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ભાગ લેવા બદલ સ્ટાફને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text