મોરબીમાં યુવાને વધુ પડતી મગજ અંને કમરના દુઃખવાની દવા ગળી જતા મોત

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા યમુનાનગરમાં રહેતા યુવાને મગજ અને કમરના દુઃખવાની વધુ પડતી ગોળી ખાઈ જતા તેનું સારવાર મોત નીપજ્યું હતું.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર આવેલા યમુનાનગરમાં રહેતા રાજુભાઈ મનુભાઈ બારોટ ઉ.વ.26 નામના યુવાને ગત તા.22ના રોજ સવારે 11 વાગ્યે તેના ઘરે મગજ અને કમરના દુખવાની વધુ પડતી ગોળીઓ ખાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં આજે સવારે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text