મોરબીમાં સાસુ અને બે નણંદોના ત્રાસથી પરણીતાએ એસીડ પીધું

- text


પરણીતાએ માનસિક ત્રાસ આપી એસિડ પીવા મજબૂર કર્યાની ત્રણેય સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં સાસુ અને બે
નણંદોના માનસિક ત્રાસથી કંટાળીને પરણીતાએ એસિડ પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બાદમાં તેણીએ આ બનાવ અંગે ત્રણેય સામે મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રણછોડનગરના આવેલ યમુનાનગરમાં રહેતી મૂળ મોટી વાવડી ગામની ધારાબેન ઉર્ફે ખિમીબેન ઉર્ફે રાધુબેન કનુભાઈ પરસાડીયા (ઉ.વ.33) નામની પરણીતાએ તેમના સાસુ મિનાબેન કુંભાભાઈ પરસાડીયા તથા બે નણંદો લખીબેન કુંભાભાઈ પરસાડીયા અને રજૂબેન કુંભાભાઈ બાંભવા (રહે મોરબી નઝરબાગ, રામાપીરના મંદિર પાસે )સામે મોરબીના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આ ત્રણેય આરોપીઓ તું કેમ તારા માવતરને ચડાવે છે? તેમ કહીને પરણીતાને યેનકેન પ્રકારે અવાર નવાર માનસિક ત્રાસ આપતા હોય આ ત્રાસ સહન ન થતા તેણીએ ગતતા 8ના રોજ પોતાના ઘરે એસિડ પી લીધું હતું. આથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બાદમાં પરણીતાએ પોતાના સાસુ અને બે નણંદો સામે મહિલા પોલીસમાં માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text