- text
મોરબીના માથા ફરેલા બે શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી વેપારીને મારમારતા પોલીસ ફરિયાદ
હળવદ : મોરબીના બે શખ્સોએ હળવદના હાર્દસમા ગણાતા ધ્રાંગધ્રા દરવાજા પાસે ધોળા દિવસે પૈસાની લેતી-દેતી બાબતે યુવાનની દુકાનમાં ઘુસી જઈ પઠાણી ઉઘરાણી કરી હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હીંચકારા હુમલા બન્ને શખ્સો વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ધ્રાંગધ્રા દરવાજા પાસે જલારામ એજન્સી નામની દુકાન ચલાવતા રવિભાઈ જયસ્વાલના પિતા આજરોજ દુકાન પર હોય તે સમય દરમિયાન પૈસાની લેતી-દેતી બાબતે મોરબી ખાતે રહેતા અને આર.જે.એન્ટરપ્રાઈઝ ધરાવતા દિલીપભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલ દુકાન પર ધસી આવી બોલાચાલી કરતા ફરિયાદીના પિતાએ તેના પુત્રને ફોન કરી દુકાને બોલાવ્યો હતો. ત્યારે રવિભાઈ જયસ્વાલ દુકાને આવતા ઉપરોકત બન્ને શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં રવિભાઈને ઈજાઓ પહોંચતા પ્રથમ હળવદ સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયો હતો.
- text
હળવદ શહેરમાં ધોળા દિવસે વેપારી પર હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી આ મામલે ભોગ બનનારે હુમલો કરનાર બન્ને શખ્સો વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
- text