21મીએ મોરબી બાર એસોશિએશનની ચૂંટણી

- text


મોરબી : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર મોરબી બાર એસોસીયેશનની ચૂંટણી આગામી તા. ૨૧/૧૨/૨૦૧૮ ના રોજ યોજવામાં આવશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના મુજબ તા. ૩૧/૧૦/૨૦૧૮ સુધીમાં જે સભ્યની ફી ભરાયેલ હશે તેમજ વનબાર ફોર્મ મોરબી માટે ફોર્મ ભરાયેલા હશે તેવા જ સભ્ય મતદાર તરીકે માન્ય રહેશે. તેમજ ત્યારબાદ ફી જમાં કરાવનાર તમામ મેમ્બર તેમજ પ્રોવીઝનલ સનદ ઘરાવનાર પણ મતદાર તરીકે રહી શકશે નહી ફકત સભ્ય ગણાશે તેવા સભ્ય પણ આવનારી ચુંટણીમાં મતદાર રહેશે નહી. બાર કાઉન્સીલ ના તા. ૧૫/૧૦/૧૮ના પત્રની કોપી તેમજ નોટીસ બોર્ડમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને ચૂંટણી અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે જેની નોંધ લેવા તમામ સભ્યોને મોરબી બાર એસોશિએશનની યાદીમાં જણાવાયુ છે.

- text

 

- text