મોરબીમાં જલારામ પ્રાર્થના મંદીર દ્વારા રાહતદરે અડદીયા વિતરણ

- text


મોરબી: મોસમમા બદલાવ આવી રહ્યો છે, શિયાળાના આગમનના એંધાણ વર્તાય રહ્યા છે, ફૂલગુલાબી ઠંડી નુ આગમન થઈ રહ્યુ છે ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ પ્રકાર ની માનવ સેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા શુધ્ધ ચોખ્ખા (અમૂલ ઘી) ના સૂકામેવા થી ભરપૂર અડદીયા નુ વિતરણ તા.૧૮-૧૧-૨૦૧૮ રવિવાર થી શરૂ કરવા મા આવશે. અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. દરરોજ તાજા સ્ટોક માંથી ઉપલબ્ધ રહેશે. સમગ્ર શિયાળા દરમિયાન અડદીયા ઉપલબ્ધ રહેશે તેમ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના હરીશ ભાઈ રાજાએ જણાવ્યુ છે. અડદીયા મેળવવા સર્વજ્ઞાતિય ભક્તજનોએ શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ ખાતે સંપર્ક કરવો.

- text

- text