મોરબીના લખધીરપુર રોડ પર કોલગેસનો કદળો ઠાલવતા બે શખ્સોને સ્થાનિકોએ પકડ્યા

- text


ટેન્કર ચાલકોને તાલુકા પોલીસ મથકે લઈ જવાયા : ફરિયાદની તજવીજ

મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર કોલગેસનો કદળો ઠાલવતા બે ટેન્કર ચાલકોને સ્થાનિકોએ પકડી પાડ્યા છે. આ બન્ને ટેન્કર ચાલકો સામે હાલ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

લખધીરપુર રોડ પર સતત નાખવામા આવતા કોલ ગેસના પાણીના કારણે આસપાસ બોરવેલમા કોલગેસનુ પાણી ભળી ગયેલ છે. જેથી સ્થાનિકોએ આ પ્રશ્નને ગંભીરતાથી લઈને જાગૃતતા દાખવીને છેલ્લા ઘણા દિવસથી નજર રાખવામાં આવી હતી. ત્યારે ગઈ રાતે ૧૦ વાગ્યાના અરસામાં આ જગ્યાએ કોલગેસનો કદળો ઠાલવવા માટે આવેલા હરીભાઈ રબારી અને મીતેશભાઈ ગીરીશભાઈ ગોસ્વામી નામના બે શખ્સોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. બાદમાં આ ટેન્કર ચાલકોને તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

- text

જો કે આ કદડો કયા સીરામીક એકમનો હતો તે હજુ ભાર આવ્યું નથી તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને હાલ આ બન્ને ટેન્કર ચાલકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે આ ઘટના અંગે સ્થાનિકો જિલ્લા દ્વારા કલેક્ટર તેમજ જીપીસીબી અને સીપીસીબીને પણ રજુઆત કરશે.

- text