૨૪ મીએ મોરબી – સુરેન્દ્રનગર જિલ્લાનો સયુંકત મેગા જોબફેર યોજાશે

- text


મોરબી જિલ્લાના ખાનગી ઔદ્યોગિક એકમો તથા ખાનગી સર્વિસ સેક્ટરના એકમોએ ખાલી જ્ગ્યાઓ જાહેર કરવા અનુરોધ

મોરબી : નિયામક રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ – મોરબી અને સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૪ ના રોજ મહિલા આઇટીઆઇ સુરેન્દ્રનગર ખાતે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સયુંકત ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવી રહેલ છે.

આ મેગા જોબ ફેરમાં મંત્રીશ્રી અને અન્ય રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી ધારણા છે.સદર ભરતી મેળામાં સ્કેલ્ડ, અનસ્કીલ્ડ, સ્નાતક, ડીગ્રી, ડીપ્લોમા, આઇટીઆઇ, ટેકનિકલ-એમ વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહેશે.

- text

જેથી મોરબી જિલ્લાના ખાનગી ઔદ્યોગિક એકમો તથા ખાનગી સર્વિસ સેક્ટરના એકમોએ (બેંકો/ઇન્સ્યુરન્સ/ફાઇનાન્સ/હોટલ/ટ્રાવેલ્સ/ સીક્યુરીટી/ટેલીકોમ વગેરેએ) જોબ ફેરમાં સ્ટાફની પસંદગી માટે ઉપસ્થિત રહેવા માટે તેમના એકમમાં ભરવાની થતી વેકેંસી (ખાલી જ્ગ્યાઓ) ની વિગત રોજગાર વિનિમય કચેરી મોરબીને રુબરુ કે ઇ-મેઇલ ( deemorbi1111@gmail ) ઉપર તા.૦૮/૧૦/૨૦૧૮ સુધીમાં મોકલી આપવા જિલ્લા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રા મોરબીની યાદીમાં જણાવાયું છે.

 

- text