મોરબીમાં શાસ્ત્રોક્ત ગર્ભ સંસ્કાર અંગે મહત્વનો સેમિનાર યોજાયો

- text


ડો. દર્શની કડીવારનું અનેરુ આયોજન : મોટી સંખ્યામાં સગર્ભા બહેનોએ પરિવાર સાથે ઉપસ્થિત રહીને સેમિનારનો લાભ લીધો

મોરબી : મોરબીના ઈતિહાસમા સૌપ્રથમ વખત આયુ ગર્ભા દ્વારા વિનામુલ્યે ગર્ભસંસ્કાર સેમિનારનુ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સગર્ભાઓએ પરિવાર સાથે હાજરી આપી હતી.

મહાભારતમા અભિમન્યુ જ્યારે માતાના ઉદરમા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની માતા શુભદ્રાને યુધ્ધ વિદ્યાને લગતુ જ્ઞાન આપ્યુ હતુ. છ કોઠાનુ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેઓ નિંદ્રાધીન થઈ ગયેલ હતા. અભિમન્યુએ છ યુધ્ધના છ કોઠાનુ જ્ઞાન માતાના ઉદરમા જ પ્રાપ્ત કર્યુ હતુ અને મહાભારતના યુધ્ધમા પોતાનુ પરાક્રમ પ્રદર્શિત કર્યુ હતુ. જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યુ હતુ એ ગર્ભસંસ્કાર હતા જે માતા ના ઉદરમાંથી જ બાળકને પ્રાપ્ત થાય છે.

- text

ત્યારે મોરબીમાં પણ સૌપ્રથમ વખત આયુ ગર્ભા દ્વારા વિનામુલ્યે ગર્ભસંસ્કાર સેમિનારનુ આયોજન ધનવંતરી ભવન ૧-૩ કાયાજી પ્લોટ, મહેશ હોટલ સામેની શેરી ખાતે કરવામા આવ્યુ હતુ. તે અંગે ઓમ આયુ ગર્ભાના ડો. દર્શનીબેન કડીવારે જણાવ્યુ હતુ કે આધુનિક સમયમા દરેક માતા પિતા એક અથવા બે બાળક જ ઈચ્છે છે તે ઉપરાંત પોતાનુ બાળક તેજસ્વી બને તેવી અપેક્ષા દરેક ને હોય છે. માતા પિતા ની અપેક્ષા મુજબ નુ બાળક મેળવવા નો વૈજ્ઞાનિક ઉપાય છે ગર્ભ સંસ્કાર.

ગર્ભ સંસ્કાર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે તે ૧૬ સંસ્કારમાના એક સંસ્કાર છે જે બાળક ને માતાના ઉદર માંથી જ પ્રાપ્ત થાય છે. આ સેમિનારમા માતા તથા ગર્ભસ્થ શિશુના સંપૂર્ણ વિકાસ માટે આહાર, વિહાર, પ્રાણાયામ, યોગા, વિચારો, ક્રિએટીવ એક્ટીવિટી, શાસ્ત્રોક્ત સંસ્કારો સહીતની બાબતો વિશે વિનામુલ્યે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

જેમા ડો. આનંદ દવે( એમ.ડી. આયુર્વેદ), ડો. હીના મોરી ( માસૂમ હોસ્પીટલ- મોરબી), ડો. દર્શની કડીવાર (આયુ ગર્ભા- મોરબી), ડો. હર્ષા મોર સહીત ના તબીબોએ માર્ગદર્શન આપ્યુ હતુ. આ સેમિનારમા બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text