ટંકારા નજીક હાઇવે પર અલ્પેશ પટેલને જેલ મુક્ત કરવા માટે બેનરો લાગ્યા

- text


વડાપ્રધાનના કાર્યક્રમમાં જતા અગ્રણીઓને દેખાઈ તે રીતે પાસ સમિતિ દ્વારા બેનરો લગાવાયા

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક અલ્પેશ પટેલને જેલ મુક્ત કરવા માટે મસ મોટા બેનરો મારવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં જનાર આગેવાનોને આ બેનરો દેખાય તે માટે પાસ સમિતિ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

ટંકારા અનામત આંદોલન વખત થી એપી સેન્ટર માનવામાં આવે છે. સુરતના અલ્પેશ પટેલને રાજદ્રોહના ગુનામાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે છોડાવા માટે તેમજ તેના સમર્થનમા રાજકોટ મોરબી રોડ પર ટંકારા નજીક મસ મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ગાંધી જયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાન રાજકોટ આવવાના છે અને આ રોડ પરથી અનેક મોટા નેતા પસાર થવાના છે તેને દેખાય તેવી રીતે બેનરો મારવામાં આવ્યા છે.

- text