મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તાની ભાવભેર ભક્તિ

- text


પારેખ શેરી ખાતેના આ મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમટી ધર્મલાભ લેતા ભાવિકો

મોરબી : મોરબી શહેરમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેમાં પારેખ શેરીમાં સ્વસ્તિક ગ્રુપ આયોજીત ગણપતિ મહોત્સવમાં મહાઆરતી, ઘુન,બરફના શિવલીંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં વિસ્તારમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા વાજતે ગાજતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.અને આ વિસ્તારના સમગ્ર રહીશો દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના કરીને દુધાળા દેવની આરાધના કરી રહયા છે.ત્યારે ગતરાત્રે આ ગણેશ મહોત્સવમાં ધુન, ભજન,સહિતના કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વિસ્તાર ની મોટી સંખ્યામાં લતાવાસીઓ જોડાય ને ભક્તી ભાવ પૂર્વક ગૌરીનંદનની આરાધના કરી હતી.દરવર્ષની જેમ આ વર્ષે પણ તો આગામી દિવસોમાં ગ્રુપ દ્વારા બરફ ની શિવલિંગ બનાવવામાં આવશે. જેનો બહોળી સંખ્યામાં ભકતજનો દર્શનનો લ્હાવો પણ લે છે.

 

- text