મોરબી પાલિકા કચેરીએ સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાની શ્રધાંજલિ સભા યોજાઈ

- text


આઈ.કે. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓએ હાજરી આપી

મોરબી : મોરબી નગરપાલિકા કચેરીએ આજે સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાની શ્રધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને સ્વ. નરેન્દ્રસિંહને શ્રધાંજલિ અર્પણ કરી હતી.

- text

ગુજરાત રાજ્ય પાલિકા કર્મચારી મહામંડળના પ્રદેશ ઉપપ્રમુખ અને મોરબી પાલિકાના ટેક્ષ સુપ્રી, નરેન્દ્રસિંહ જાડેજાનું ગત તા. ૦૧ ના રોજ અવસાન થયું હોય જેને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આજે પાલિકાના સભાખંડમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, આઈ.કે. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. આ તકે ઉપસ્થિત તમામે ભીની આંખોથી સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

- text