મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ૯મીએ સંતવાણી

- text


મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે આગામી તા. ૯ના રોજ શ્રાવણ અમાસ નિમિતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીનું આયોજન સત્યેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થે કરવામાં આવ્યું છે.

મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ અમાસના રોજ તા. ૯એ રાત્રે ૯ કલાકે સંતવાણી યોજાશે. જેમાં રાજકોટના નિતીનગીરીબાપુ અને કચ્છના નયનાબેન બારોટ સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે. ઉપરાંત તા.૯ના રોજ સવારે ૭ થી બપોરે ૧૨ વાગ્યા સુધી તેમજ બપોરે ૪ થી સાંજે ૧૧ સુધી બરફીલા બાબાની પ્રદક્ષિણા અને દર્શનનો લાભ લઇ શકાશે.સંતવાણીમાં જાહેર જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text