Morbi: અદેપર ગામે નારી અસ્મિતા ધર્મરથનું ભવ્ય સ્વાગત કરાયું

- text


Morbi: ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ આપેલા નિવેદનનાં વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ વિરોધનાં ભાગરૂપે ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા હાલ ઠેર ઠેર નારી અસ્મિતા ધર્મ રથ ફરેવવામાં આવી રહ્યો છે.

ભાજપ અને પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આંદોલન ચાલે છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકાના અદેપર ગામમાં ધર્મ રથનું આગમન થયું હતું. અદેપર ગામમાં ક્ષત્રિય રાજપુત સમાજ કરણી સેના દ્વારા ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઢોલ સાથે ધર્મ રથને આવકારવામાં આવ્યો હતો અને નાની દીકરીઓએ કંકુ-ચોખા વડે ધર્મ રથના સામૈયા કર્યા હતા. આ ધર્મ રથને અદેપર ગામના તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ સમર્થન જાહેર કર્યું હોવાનું ગામના સરપંચે જણાવ્યું હતું. અદેપર ગામના સરપંચે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text