મોરબી એસટી બસ સ્ટેન્ડમાં જન્માષ્ટમીના પગલે મુસાફરોનો ધસારો વધ્યો

- text


રાજકોટ અને જામનગરના રૂટમાં વધારો કરાયો : જરૂર પડ્યે હજુ અન્ય રૂટમાં વધારો કરાશે

મોરબી : મોરબી એસટી બસ સ્ટેન્ડમાં જન્માષ્ટમીના તહેવારને પગલે મુસાફરોનો નોંધપાત્ર ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુસાફરોના આ ધસારાને પહોંચી વળવા માટે એસટી તંત્રએ પણ રૂટ વધાર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આગામી તા. ૩ના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે. ત્યારે હાલ મીની વેકેશન જેવો માહોલ સર્જાયો છે. જેને પગલે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મોરબી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોની મોટી ભીડ જોવા મળી રહી છે. તહેવાર નિમિતે મુસાફરોની સંખ્યામાં વધારો થતાં એસટી તંત્ર દ્વારા મોરબી- રાજકોટ અને મોરબી- જામનગરના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે.

- text

જન્માષ્ટમીના તહેવારને લીધે હજુ થોડા દિવસ મુસાફરોનો ધસારો યથાવત રહેશે. જેથી જરૂર પડ્યે હજુ પણ અલગ અલગ રૂટમાં વધારો કરવામાં આવશે તેમ એસટી ડેપો મેનેજર પાસેથી જાણવા મળ્યું છે.

- text