મોરબીના માનસર ગામના પાટીદારો હાર્દિક પટેલના સમર્થનમાં ગુરુવારે પ્રતીક ઉપવાસ કરશે

- text


મોરબી: હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના માનસર ગામના ૫૦ થી વધુ પાટીદાર આગેવાનો દ્વારા તા.૩૦ને ગુરુવારે હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતીક ઉપવાસ કરવામાં આવનાર છે.

- text

પાટીદાર અનામત આંદોલનના સુપ્રિમો હાર્દિક પટેલ દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ માંગણીઓ સાથે સરકાર સામે બાયો ચડાવી ઉપવાસ આંદોલનના મંડાણ કરાયા છે. જેને વિવિધ આગેવાનો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યુ છે. ત્યારે મોરબી જિલ્લાના માનસરના ગ્રામજનો દ્વારા પણ હાર્દિક પટેલના આંદોલનમાં ટેકો આપવા સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ગામના ૫૦ થી વધુ લોકો પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

 

- text