- text
હળવદના લીમડાવાળા દશામાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
હળવદ : દસ દિવસ ચાલતા દશામાના વ્રતના અંતિમ દિવસે હળવદ શહેરમાં આવેલ દશામાના મંદિર ખાતે ભાવિક ભકતોનો ઘોડાપુર ઉમટયું પડયું હતું. સાથે જ દશામાના વ્રત નિમિતે દસ દિવસ વ્રત દરમિયાન વિનોબા ગ્રાઉન્ડ ખાતે હળવદ દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું હતું. અને ગઈકાલે લોકમેળોના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. લોકમેળામાં આવેલ વિવિધ રાઈડ્સોમાં ભારે ધસારો જાવા મળ્યો હતો.
- text
હળવદ તાલુકાના એકમાત્ર દશામાના મંદિરે ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. હાલ દશામાના વ્રત ચાલી રહ્યા છે. ત્યારે શહેરના લીમડાવાળા દશામાના મંદિરે સોમવારના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં બહેનોની દશામાના દર્શન કરવા ભારે ભીડ જાવા મળી હતી. તો સાથોસાથ વિનોબા ગ્રાઉન્ડ ખાતે હળવદ દ્રારકાધીશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો માનવ મહેરામણ મેળાને મહાલ્વા ઉમટી પડયું હતું છેલ્લા દિવસે દશામાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મહાઆરતી, રાત્રે જાગરણ નિમિતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયા હતા અને શહેરના ધ્રાંગધ્રા રોડ પર આવેલ દશામાના મંદિરે ભકતોની ભીડ સાથે ભકિતમય વાતાવરણ બન્યું હતું.
- text