મોરબી : યુવા ઉદ્યોગપતિએ વ્હાલસોયા પુત્રના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


પ્રજ્ઞાચક્ષુ નર્વસન કેન્દ્ર ખાતે ૧૩૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓને ભાવતું ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા 

મોરબી : મોરબીના દોશી પરિવારે તેમના વહાલસોયા પુત્રનો બીજો જન્મદિવસ પ્રેરક રીતે ઉજવ્યો હતો. દોશી પરિવારે લાડકવાયા પુત્રના જન્મદિને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના ૧૩૦ પ્રજ્ઞાચક્ષુઓને ભાવતું ભોજન કરાવીને જન્મદિવસની ઉજવણી સાર્થક બનાવી હતી. આ અગાઉ પણ પુત્રના પ્રથમ જન્મદિને પણ દોશી પરિવારે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ઉજવણી કરી હતી.

પોતાના વ્હાલસોયા પુત્રનો જન્મદિવસ ઉજવવાનો અદકેરો હરખ દરેક માં-બાપને હોવાનો જ છે.પરંતુ અન્યને ખુશીઓ આપીને ખુશ થનારા ખુબ ઓછા લોકો હોય છે.મોરબીમાં સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા જીગ્નેશ દોશી અને એમના પત્ની પરેશાબેનને કુદરતે ૧૨-૧૨ વર્ષે સંતાન સુખ આપ્યું. આ દંપતી હંમેશા બીજાને ખુશીઓ આપવાનો સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે.એમના આ પ્રેમ રૂપી દામ્પત્ય જીવનમાં આજ થી ૨ વર્ષ પહેલા રુદ્ર નામના પુષ્પનો જન્મ થયો.

- text

ખુબ સારા લાલન પાલન અને સંસ્કારોના ઉછેર સાથે રુદ્ર એક વર્ષનો થયો ત્યારે જીગ્નેશ અને પરેશાબેને રૂદ્રનો બર્થડે ખુશીઓ આપીને ઉજવવાનું નક્કી કર્યું. સંતાનોથી અલગ રહેતા માવતર અને માવતર વિનાના સંતાનો સાથે એટલે કે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં વડીલો અને બાળકો સાથે ઉજવ્યો. જીગ્નેશ દોશી હંમેશા કોઈક ને કંઈક આપીને ખુશ થનારા વ્યક્તિ છે.

રુદ્ર ૨ વર્ષનો થયો. વધુ એક વખત ખુશીઓ વહેંચવાનો અવસર આવ્યો. જેમને કુદરતે આ જગત જોવા માટે સક્ષમ નથી એવા એટલે કે પ્રજ્ઞા ચક્ષુઓ સાથે આ ઉજવણી કરવાનું આયોજન કર્યું.મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલા પ્રજ્ઞાચક્ષુ સેવા સંકુલ ખાતે દોશી પરિવારે ગઈકાલે આ સેલિબ્રેશન કર્યું.૧૩૦ જેટલા લોકો ને સ્વાદિષ્ટ ભોજન કરાવીને આ પરિવારે સંતોષ મેળવ્યો. બસ રુદ્ર પણ તેના મમ્મી પપ્પા દાદા દાદી અને પરિવારનો આ સંસ્કારી વારસો જાળવી રાખીને જગતમાં ખુશીઓ ફેલાવતો રહે એવા જન્મદિવસ નિમિતે આશીર્વાદ મળ્યા હતા.

(અહેવાલ સાભાર : રોહન રાંકજાની ફેસબુક વોલ પરથી)

- text