મોરબીમાં પુસ્તક પરબ દ્વારા રવિવારે પુસ્તક પરિચય કાર્યક્રમ

- text


મિતુલ વડસોલા દ્વારા રોબિન શર્મા લિખિત સન્યાસી કે જેણે પોતાનો સંપત્તિ વેચી નાખી પુસ્તકનો પરિચય અપાશે

મોરબી : મોરબીના સરદાર બાગ ખાતે આગામી તા. ૫ને રવિવારના રોજ પુસ્તક પરબ દ્વારા રોબિન શર્મા લિખિત સન્યાસી કે જેણે પોતાનો સંપત્તિ વેચી નાખી પુસ્તકના પરિચયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

પુસ્તક પરબ દ્વારા આગામી તા. ૫ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૧:૩૦ દરમિયાન શનાળા રોડ પર આવેલા સરદારબાગ ખાતે પુસ્તક પરિચયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વકતા મિતુલ વડસોલા દ્વારા રોબિન શર્મા લિખિત સન્યાસી કે જેણે પોતાનો સંપત્તિ વેચી નાખી (અનુવાદિત) પુસ્તકનો પરિચય આપવામાં આવશે. આ ઉપરાંત પુસ્તક પરબ દ્વારા ૨ હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી કોઈ પણ મનગમતું પુસ્તક વિનામૂલ્યે વાંચન અર્થે લઈ જઈ શકાશે.

- text