- text
મોરબી : મોરબીના લીલાપર ગામે દલિતોના પ્લોટ પર કબજો જમાવી બેઠેલા શખ્સને સરપંચે પ્લોટ ખાલી કરવાની નોટિસ પાઠવતા શખ્સ લાકડી લઈને સરપંચની પાછળ દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઇ છે.
- text
મોરબીના લીલાપર ગામના સરપંચ મુકેશ શામજીભાઈ શેરશીયાએ ફરિયાદ નોંધાવી હતી કે દલિતોના પ્લોટ લીલાપર ચોકડી આવેલા હોય જેનો કબજો ગોવિંદ બીજલ રબારી રહે. લીલાપર રોડ વાળા પાસે છે જે ખાલી કરવા નોટીસો આપતા સારું નહિ લાગતા ગાળો દઈને લાકડી વડે મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામના સરપંચની ફરિયાદના આધારે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text