ટંકારાની આર્ય વિદ્યાલયમના બાળકો રાજકોટના પ્રદ્યુમન પાર્કની મુલાકાતે

- text


બાળકોને પાર્કના તમામ પક્ષી અને પ્રાણીઓ વિશે માહિતી અપાઈ

ટંકારા : ટંકારા નજીક રાજકોટ મોરબી રોડ પર આવેલી અને વિધાર્થી ને ભણતર ના ભાર થી મુક્ત રાખવા નવતર પ્રયોગ માટે જાણીતી આર્ય વિદ્યાલયમ્ ના સંચાલક મેહુલ કોરીંગા ની અધ્યક્ષતામાં શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થી ભુલકા ભુલી ગયેલા જનાવર ને ટીવી કે ચોપડી માજ ન નિહાળી જીવતા જોઈ જાણે એવા હેતુ થી ગઈ કાલે રાજકોટ સ્થિત પ્રર્ધુમન પાર્કનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો.

- text

પ્રદ્યુમન પાર્ક ખાતે બાળકોને તમામ પક્ષી અને પ્રાણીઓ વિશે પુરતી માહિતી આપી તેના જીવતર ની રહેણી કહેણી વિશે વાકેફ કર્યા હતા. તો બાળક મા રહેલી સમજણ શક્તિ ખિલે માટે કોરા કાગળ પર તમામ જીવો વિશે ચાર લીટી જાતેજ લખી હતી જયારે માસુમ ભુલકાઓએ પણ કુદરતી જીવ સુષ્ટિ વિશે હોશેહોશે કાલાવેલી ભાષામાં વાક્યો કંડારિયા હતા.

- text