મોરબીમાં પર્યાવરણ દિન નિમિતે સ્વચ્છતા જનજાગૃતિ રેલી નિકળી

- text


જિલ્લા કલેક્ટર મકડીયાએ રેલીમાં જોડાયેલા તમામને પર્યાવરણ જતનના શપથ લેવડાવ્યા
મોરબી : મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે સ્વચ્છતા જન જાગૃતિ રેલી યોજાઈ હતી. ઉપરાંત જીલ્લા કલેકટર દ્વારા રેલીમાં જોડાયેલા તમામને પર્યાવરણ જતનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મોરબી નગરપાલીકા ખાતેથી સ્વચ્છતા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ લીલી ઝંંડી ફરકાવી પ્રસ્થાન કરવી અને સાથે પોતે પણ રેલીમાં જોડાયા હતા તેમજ રેલી ગાંધીબાપુના બાવલાએ પૂર્ણ થઇ હતી અને બાદમાં બાપુના બાવલાને જીલ્લા કલેકટરે સુતરની આટી પહેરાવી હતી અને તેની સાથે ઉપસ્થિતોને સ્વચ્છતા અંગેના સપથ લેવડાવામાં આવ્યા હતા.

- text

આ રેલીમાં નગરપાલીકા પ્રમુખ ગીતાબેન કંઝારીયા, મોરબી પ્રાત અધિકારી એસ.જે.ખાચર, નગરપાલીકા ચીફ ઓફીસર ગીરીસ સરૈયા, નાયબ વન સરક્ષક એમ.એમ.ભાલોડી, ઉપસ્થિત રહ્યા હતા.

- text