મોરબીના બરવાળા ગામે ભવાઇના કાર્યક્રમમાં બે આખલાઓએ મચાવ્યો આતંક : અનેક ઘવાયા

- text


આખલાઓને કારણે સર્જાયો અફરા તફડીનો માહોલ : ૧૦ લોકો થયા ઇજાગ્રસ્ત

મોરબી : મોરબીના બરવાળા ગામે ભવાઈનો કાર્યક્રમ નિહાળી રહેલ લોકો વચ્ચે અચાનક બે ખુટીયાએ આવીને આતંક મચાવતા ૧૦ થી ૧૨ જેટલા લોકો ઘવાયા હતા. તમામને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા

- text

મોરબી અપડેટ સાથે વાત કરતા ગામ અગ્રણી ભરતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે કાલે રાત્રે ભવાઈ મંડળીનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ગામના અને આજુબાજુના વિસ્તારના લોકો ભવાઈનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા તે દરમિયાન ગામમાં બે ખુટીયાઓ આવી ચડતા ગામલોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં દશ બાર લોકોને ખુટિયાઓએ ઇજા પહોંચાડી હતી. ઉપરાંત શિંગડા વાટે માર મારતા એક વ્યક્તિને લોહીની ઉલ્ટીઓ થવા લાગતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જયારે એક યુવતી કોમામાં સરી ગઈ હતી જેને મોરબી ક્રિષ્ના હોસ્પિટલ જયારે અન્ય લોકોને ફેકચર જેવી ઇજાઓ થતા આયુષ હોસ્પિટલ ખસેડાયા હતા.

- text