મોરબી નગર મહાવિદ્યાલય વિભાગ દ્વારા ૨૫ મીએ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

- text


સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા તેમજ ધો.૧૨ ના છાત્રો માટે ખાસ આયોજન

મોરબી : મોરબી નગર મહાવિદ્યાલય વિભાગ દ્વારા આગામી તા.૨૫ના રોજ બપોરે ૩ થી ૭ દરમિયાન સનાળા માં આવેલી સરસ્વતિ શિશુ મંદિર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે.

જે વિદ્યાર્થીઓ બેંક ,રેલ્વે , તલાટી મંત્રી ,પોલીસ, આર્મી , ,upsc, gpsc, જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર ખૂબ ઉપયોગી સાબિત થશે.

- text

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ હાલ માં ધોરણ 12 ની પરીક્ષા આપે છે પોતાની કારકિર્દી નું આયોજન કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર પથદર્શક સાબિત થશે.સેમિનાર માટે રૂ.૫૦ ની ફી રાખવામાં આવી છે. મર્યાદિત સંખ્યા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન થઇ શકશે.કેમ્પ માટે નામ નોંધાવવા મો.ન.8000053653 અથવા 9033335730નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text