હળવદમાં હોળીના તહેવાર ટાણે ધંધાર્થીઓમાં મંદીનો માહોલ

- text


જીએસટી બાદ ગત વર્ષની તુલનાએ આ વર્ષે પ થી ૧૦ ટકા ભાવ વધારો

હળવદ : હોળી તેમજ ધૂળેટીના પર્વ નિમિત્તે હળવદ શહેરમાં ધંધાર્થીઓ ઘરાકીની આશ લગાવીને બેઠા છે તો સરકારે લાગુ કરાયેલા જીએસટીથી રંગબેરંગી કલર તેમજ પિચકારી જેવી વસ્તુઓના ભાવ પર ગત વર્ષની તુલનાએ આ વર્ષે પથી ૧૦ ટકા ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ધંધાર્થીઓમાં મંદીનો માહોલ વર્તાયો છે.

હળવદ શહેરમાં હોળીનો તહેવાર યુવાવર્ગમાં પ્રિય છે તેમજ યુવાનો આ તહેવારને ઉમંગ અને ઉત્સાહથી ઉજવતા હોય છે ત્યારે શહેરમાં તહેવારના ટાંકણે પિચકારી, સ્પ્રે સહિત અવનવા કલરો જોવા મળી રહ્યા છે જોકે હળવદની બજારોમાં કેમિકલવાળા કલર નહિવત છે. તો સાથોસાથ શહેરના મેઇન બજાર, સરા ચોકડી, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ધુળેટીના સપરમાં રંગબેરંગી કલર, પિચકારી, ખજૂર, ધાણી સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે પરંતુ ધંધાર્થીઓના જણાવ્યા મુજબ શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તદુપરાંત ધૂળેટી પર્વ ઉજવવા રંગરસીયાઓમાં નિરાશા સાપડી હોય તેવું ધંધાર્થીઓને કયાકને કયાક સવાલ ઉભા કરે છે. શહેરના વેપારી વર્ગમાં પણ ધૂળેટી તેમજ હોળીની ખરીદી કરતાં ગ્રાહકો નહિવત હોતા જીએસટીની માઠી અસર ધંધાર્થીઓ પર પડી હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે.

- text

- text