મોરબીમાં ૧૧ ફેબ્રુઆરીએ યોજાશે અદભુત સંસ્કૃત સંમેલન

- text


સંસ્કૃતભારતી દ્વારા ટાઉનહોલમાં સંસ્કૃત પ્રદર્શની અને સાંસ્કૃતિક કાર્યક્રમ

મોરબી : આગામી ૧૧ ફેબ્રુઆરીએ મોરબી સંસ્કૃતમય બનશે, સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંમેલનમ્ કાર્યક્રમ અદભુત કાર્યક્રમ યોજવા તૈયારી શરૂ કરી છે.

સંસ્કૃતભારતી સંસ્થા દ્વારા આગામી તા. ૧૧ ફેબ્રુઆરીને રવિવારના રોજ મોરબીના ટાઉનહોલ ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન સંસ્કૃત પ્રદર્શની અને ત્યારબાદ રાત્રે ૮ થી ૧૦ દરમિયાન ટાઉનહોલ ખાતે અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

- text

પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન કરાવતા આ અદભુત સંસ્કૃત સંમેલનમ્ કાર્યક્રમમાં પધારી લ્હાવો લેવા આયોજકો દ્વારા મોરબીના નગરજનોને અનુરોધ કરાયો છે.

- text