મોરબી કેનાલમાં ડૂબી મૃત્યુ પામેલ અજાણ્યા વ્યક્તિનો પતો આપવા અંગે

- text


મોરબી : મકરસંક્રાંતિની રાત્રીએ મોરબી ઉમિયા સર્કલ નજીક કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યા બાદ આજદિન સુધી આ વ્યક્તિના વાલી વારસનો પતો ન લાગતા એ ડિવિઝન પોલીસે આ વ્યક્તિનો પતો આપવા અપીલ કરી છે.

આ કેસની તપાસ કરી રહેલા એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.કે.ઈસરાણીની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૧૪ ના રાત્રીના કેનાલમાંથી અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના પુરુષની લાશ મળી આવી છે જે વાને શ્યામ, શરીરે મધ્યમ બાંધાનો,કાળા કલરનું જાકીટ અને મહેંદી કલરનું ટીશર્ટ પહેરેલ અને ડાબા હાથના કાંડામાં સ્ટીલનું કડું પહેરેલ હતું.

- text

જો આ અજાણ્યા ઇસમનું નામ સરનામું કે વાલી વારસ અંગે કોઈને જાણ મળે તો એ ડિવિઝન પોલિસ મોરબી ફોન નંબર ૦૨૮૨૨-૨૩૦૧૮૮ અથવા તપાસનીશ હેડ કોન્સ્ટેબલ એન.કે.ઇસરાણીને ૯૭૧૨૬૦૧૦૬૦ પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

- text