મોરબીમાં ફિલ્મ પદ્માવતી વિવાદ મામલે રાજકીય પક્ષોને પ્રવેશ બંધી

- text


મોરબી:મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા વિવાદિત ફિલ્મ પદ્માવતીનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી ભાજપ,કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને સોસાયટીમાં પ્રવેશબંધી ફરમાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતીમાં ઇતિહાસને તોડી મરોડી રજૂ કરવાની સાથે ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા પ્રયાસ કરવામાં આવતા મોરબી સહિત રાજ્યભરમાં અને હવે આ વિરોધ વંટોળ ગુજરાતના સીમાડા ઓળંગી અન્ય રાજ્યમાં પહોંચ્યો છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજે હવે આ મળે રાજકીય પક્ષોને પ્રવેશબંધી ફરમાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

- text

વધુમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુત નગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર જાહેરમાં બોર્ડ લગાવી દઈ જો પદ્માવતી ફિલ્મનો વિવાદ ઉકેલવામાં નહીં આવેતો આગામી ચૂંટણીમાં મતદાન નહિ કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા જાહેર કરતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

- text