મોરબી જલારામ સેવા મંડળ દ્વારા મોરબી થી વીરપુર ની સર્વજ્ઞાતિય પદયાત્રા યોજાશે

- text


આગામી તારીખ ૨૧ને ભાઈબીજના દિવસે પદયાત્રાનું મોરબીથી પ્રસ્થાન

મોરબી:મોરબી જલારામ સેવા મંડળ દ્વારા મોરબી થી વીરપુર ની સર્વજ્ઞાતિય પદયાત્રા નુ આયોજન આગામી તા.૨૧ ભાઈ બીજ ના દીવસે કરવામા આવેલ છે. પદયાત્રા બપોરે ૩ કલાકે જલારામ મંદીર અયોધ્યાપુરી રોડ ખાતે થી પ્રસ્થાન થશે. પદયાત્રા ના રૂટ દરમિયાન રહેવા, જમવા, ચા પાણી નાસ્તા , મેડીકલ સેવા સતત આપવા મા આવશે. તા.૨૪ના રોજ પદયાત્રીકો વીરપુર પહોંચી પૂજ્ય જલારામ બાપા ના ચરણોમા શિશ ઝુંકાવશે.

- text

આ પદયાત્રા મોરબી લોહાણા મહાજન પ્રમુખ- શ્રી ગીરીશ ભાઈ ઘેલાણી , મંત્રી- નરેન્દ્ર ભાઈ રાચ્છ તથા લોહાણા મહાજન મોરબી ની રાહબરી હેઠળ યોજવા મા આવશે. પદયાત્રા મા જોડવવા ઈચ્છુક સર્વજ્ઞાતિય જલારામ ભક્તો એ જલારામ સેવા મંડળ ના મનોજ ભાઈ ચંદારાણા-૯૯૭૯૨૫૮૫૮૬, દીનેશ ભાઈ સેતા-૯૮૨૫૫૯૦૦૭૯, ભાવીન ભાઈ ઘેલાણી-૯૯૨૫૪૯૬૪૮૮, ચિરાગ ભાઈ રાચ્છ-૯૦૯૯૬૦૦૦૮૧  નો સંપર્ક કરી નામ નોંધાવવા નુ રહેશે. વિના મુલ્યે આયોજીત પદયાત્રા મા સર્વ જ્ઞાતિય જલારામ ભક્તો ને જોડાવવા મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text