મોરબીમાં ચાલુ ફરજે વીજ કર્મચારીનું વીજશોકથી મોત

- text


મોરબી : મોરબીનાં કેરાળી ગામે રહેતા અને પીજીવીસીએલમા ફરજ બજાવતા વીજ કર્મચારી ધર્મેન્દ્રભાઇ ગોવિંદભાઇ ચૌહાણ(ઉ.28) આજે શહેરનાં સામાકાઠે આવેલા પાશ્વનાર્થ કોમ્પ્લેક્ષ પાસેની વીજ લાઇનમા ફોલ્ટ રિપેર કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક જ વીજશોક લાગતા તેમનું મોત નિપજ્યુ હતું. અા બનાવને પગલે મ્રુતકના પરિવાર અને વીજ કર્મચારીઓમા શોકનું મોજું ફરી વળયું હતું. બી ડિવિઝન પોલીસે અા બનાવની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

- text

- text