ટંકારાના સિધ્ધિવિનાયક કા રાજાને શુક્રવારે ૧૧ કિલો ની મોદક કેક ધરાવાશે

- text


ટંકારા : ટંકારાના સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં આગામી તા.૧ ને શુક્રવારે ૧૧ કિલો મોદકની કેક ધરાવવામાં આવશે સાથો સાથ મહા પ્રસાદનું આયોજન પણ કરાયું છે.

- text

અરવિંદભાઈ બારૈયા અને લાલાભાઈ આચાર્ય ના વડપણ હેઠળ ટંકારા માં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમા જબ્બર ડોમ ઉભો કરી 12 ફુટ ની વિશાળ મૂર્તિની રોજ સવારે અને સાંજે મહાઆરતી યોજાય છે જેમાં ભારે ભીડ જોવા મળે છે. આગામી શુક્રવારે તારીખ ૧ ના રોજ સિધ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ૧૧ કિલો ની મોદક કેક બનાવી પ્રસાદ નુ આયોજન કર્યું છે. જેથી ટંકારા શહેર અને તાલુકા ના તમામ ભક્તો એ આરતી નો લાભ લેવા પ્રતિક આચાર્ય અને ટીમની યાદીમા જણાવ્યું છે.

- text